આપણું ઉમરેઠ

ચરોતરનો ઉંબરો..

Category Archives: વાંચકોની વાત..

ગૌરીવ્રતના જવારા તૈયાર લાવવાનો ટ્રેન્ડ..!


 

ગૌરીવ્રતમાં પુજા કરવા માટે યુવતિઓ હવે જવારાની તૈયાર ટોપલીઓ બજાર માંથી ખરીદ કરતી થઈ ગઈ છે, જ્યારે પહેલા પરંપરાગત રીતે ગૌરીવ્રતના આઠ દશ દિવસ પહેલા યુવતિઓ વાંસની નાની ટોપલી ખરીદી તેમા છાણીયું ખાતર નાખી જવારા જાતેજ ઉછેરતી હતી તેઓના આ કાર્યમાં ઘરની અન્ય મોટી મહિલાઓ પણ સાથ સહકાર આપતી હતી. પરંતુ હાલમાં ફાસ્ટ યુગમાં છાણીયું ખાતર કે ટોપલી શોધવા જવાનો સમય કોઈ પાસે નથી જેથી બહારમાં તૈયાર ઉછેરેલા જવારા મળતા થઈ ગયા છે. યુવતિઓ પણ આ જવારા ખરીદ કરી પોતાના વ્રત માટે પુજા કરતી થઈ ગઈ છે. બદલાતા જતા ટ્રેન્ડને લઈ નાની બાળકી રીમાએ કહ્યું હતું કે, જાતે જવારા ઉછેરવામાં આવે અને ગૌરી વ્રતસુધી સંતોષકારક ઉછેર ન થાય તો યુવતિઓનો મૂળ ઓફ થઈ જાય છે અને જે ઉત્સાહ પુજામાં હોવો જોઈયે તે ઉત્સાહ પણ રહેતો નથી જેથી ઉછેર થયેલા જ જવારા ખરીદ કરવામાં આવે તેવી યુવતિઓ આગ્રહ રાખતી હોય છે. ખેર ઉછેરા હોય કે ખેરીદ કરેલા જવારાની પુજા કરી જિલ્લામાં ગૌરીવ્રતની ઉજવણી કરવા યુવતિઓ થનગનાટ કરી રહી છે. (ફોટો અને અહેવાલ – પંકજ શાહ,વડોદરા)

ઉમરેઠના તેજસ્વી વિદ્યાર્થીઓને અનુમણિ પુરસ્કારથી સન્માનીત કરાશે.


ઉમરેઠના વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે હેતુથી ધો.૧૨ના તેજસ્વી વિદ્યાર્થીઓને અનુમણિ પુરસ્કારથી સન્માનીત કરવામાં આવશે. આ પુરસ્કાર અંતર્ગત બોર્ડની પરિક્ષાના પરિનામ બાદ ઉમરેઠમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીની ને રૂ.૨૦૦૦ રોકડા,સામાન્ય પ્રવાહમાં પ્રથમ નંબરે આવનાર વિદ્યાર્થીને રૂ.૧૫૦૦ રોકડા ઈનામ રૂપે મૂળ ઉમરેઠના ર્ડો પ્રહલ્લાદભાઈ ભટ્ટના ફંડ માંથી આપવામાં આવશે.પોતાની દાવેદારી નોંધાવવા માટે વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટ ની નકલ  પોતાની સ્કૂલના આચાર્ય દ્વારા પ્રમાણીત કરી ઉમરેઠ જ્યુબિલિ સ્કૂલના આચાર્યને આપવાની રહેશે.અત્રે ઉલ્લેખનિય છે કે, હાલમાં નગરમાં વિવિધ જ્ઞાતિઓ દ્વારા પોતાની જ્ઞાતિના વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરવા ઈનામો એનાયત કરવામાં આવે છે. પરંતુ સમગ્ર ઉમરેઠ ખાતે કોઈપણ જ્ઞાતિ કે જાતના ભેદભાવ વગર માત્રને માત્ર તેજસ્વી વિદ્યાર્થીને પ્રોત્સાહન આપવાનો આ અનન્ય પ્રયાસ છે.

ઉમરેઠ બ્રહ્મકુમારી-ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા સામાજિક સંસ્થાઓનું સન્માન કરાયું.


ઉમરેઠ ખાતે કાર્યરત તેવી સામાજિક સંસ્થાઓનું તાજેતરમાં ઉમરેઠ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલય દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ સમયે ઉમરેઠ બ્રહ્મકુમારી વિશ્વ વિદ્યાલયના સંચાલકો દ્વારા નગરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા લોક ઉપયોગી કાર્યોની પ્રશંશા કરી હતી અને નગરની ક્લબો, મંડળો સહીત સેવા કાજે કામ કરતી લગભગ ૩૦ થી પણ વધુ સંસ્થાઓના સંચાલકો અને સભ્યોનું સન્માન કરી તેઓનું પ્રોત્સાહન વધાર્યું હતું. આ સમયે ઉમરેઠ જય અંબે યુવક મંડળના જતીનભાઈ પટેલે જણાવ્યું હતું કે, સેવાકિય પ્રવૃત્તિ કરતી સંસ્થાને આ રીતે જાહેરમાં સન્માનીત કરવામાં આવે તે ખરેખર સરાહનીય બાબત છે. આવા પ્રોત્સાહનથી સંસ્થાઓ વધુને વધુ સેવાકીય પ્રવૃતિ કરશે. (ફોટો – જતિન પટેલ, ઉમરેઠ)

ઉમરેઠમાં દર રવીવારે બી.એસ.એન.એલ મોબાઈલ ઠપ્પ થઈ જતા ગ્રાહકો પરેશાન.


  • ગ્રાહકો મોબાઈલ  પોર્ટીબિલીટીથી અન્ય મોબાઈલ સેવા તરફ વળવા મજબુર

એક તરફ ખાનગી મોબાઈલ કંપનીઓ પોતાની સેવાથી ગ્રાહકોને આકર્ષવા અવનવા હથકંડા અપનાવે છે ત્યારે બીજી બાજૂ સરકારી મોબાઈલ કંપની પોતાની કથળતી સેવાને કારણે હાથમાં આવેલા ગ્રાહકો ગુમાવવાને આરે આવી ગઈ છે, ઉમરેઠમાં પણ બી.એસ.એન.એલ મોબાઈલ સેવા કથળી જતા અનેક ગ્રાહકો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે કેટલાય ગ્રાહકો દ્વારા મોબાઈલ પોર્ટેબિલીટી સેવાનો ઉપયોગ કરી અન્ય કંપની સાથે છેડા બાંધવાની તૈયારી કરી દેવામાં આવી છે.

છેલ્લા કેટલાય સમયથી ઉમરેઠમાં દર રવીવારે બી.એસ.એન.એલના મોબાઈલ ઠપ્પ થઈ જતા વપરાશકારો પરેશાન થઈ ગયા છે. જાણે દર રવીવારે મોબાઈલ સેવા આપવામાં બી.એસ.એન.એલ રજા રાખતી હોય તેવું દેખાઈ આવે છે. બી.એસ.એન.એલના કવરેજમાં પણ પહેલેથી લાલીયાવાડી છે ત્યારે રવીવારના દિવસે મોબાઈલ ફોન સંપૂર્ણ બંધ રહેતા મોબાઈલ ધારકો પરેશાન થઈ જાય છે.

વધુમાં ઉમરેઠમાં બી.એસ.એન.એલનું ટાવર હોવા છતા કવરેજમાં મુશ્કેલીઓ આવી રહી છે. જેના કારણે પહેલેથી મોબાઈલ ધારકો પરેશાન છે ત્યારે છેલ્લા કેટલાય સમયથી દર રવીવારે બી.એસ.એન.એલની મોબાઈલ સેવા ખોરવાઈ જતા ગ્રાહકો પરેશાન થઈ ગયા છે. જો આવનારા સમયમાં બી.એસ.એન.એલ દ્વારા ગ્રાહકોની આ મુશ્કેલીને દૂર નહી કરવામાં આવે તો મોટી સંખ્યામાં ગ્રાહકો મોબાઈલ પોર્ટેબિલીટી સેવાનો ઉપયોગ કરી અન્ય કંપનીના ખોળામાં બેસી જવાની પેરવીમાં છે. ત્યારે ગ્રાહકોની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખી બી.એસ.એન.એલ ઘટતું કરે તે જરૂરી છે

Follow

Get every new post delivered to your Inbox.

Join 162 other followers

%d bloggers like this: